Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાવાઝોડાના પગલે રાજકોટ વિભાગની કેટલીક વધુ ટ્રેનો રદ્દ

રાજકોટ,તા. ૧૮ : મુસાફરોની સલામતી અને ટ્રેનની કામગીરીને ધ્યાને રાખીને સાયકલોન તૌકતેની ચેતવણીને ધ્યાનમાં રાખીને રાજકોટ વિભાગમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્યા મુજબ આજે (૧૮/૫/૨૦૨૧ના રોજ ટ્રેનો રદ કરવામાં આવી છે) ૧ આજે નંબર ૦૯૨૧૭ બાંદ્રા વેરાવળ તથા આવતીકાલ તા. ૧૯ના ટ્રેન નંબર ૦૯૨૧૮ વેરાવળ-બાંદ્રા, ટ્રેન નંબર ૦૯૫૧૩ રાજકોટ -વેરાવળ, ટ્રેન નંબર ૦૯૫૧૪ વેરાવળ -રાજકોટ, ટ્રેન નંબર ૦૯૫૭૨ ભાવનગર -સુરેન્દ્રનગર, ટ્રેન નંબર  ૦૯૫૦૩ સુરેન્દ્રનગર -ભાવનગર સહિતની ટ્રેનો રદ કરવામાં આવી છે.

(3:15 pm IST)