Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

જંગલેશ્વરના શાહજંહા પર વ્યાજની રકમની ઉઘરાણી માટે ઇકબાલનો તલવારથી હુમલો

૨૦ હજાર સામે રોજના ૫૦૦ લેખે ૩૦ હજાર ચુકવ્યાઃ બાકીના ૫ હજાર માટે ડખ્ખો

રાજકોટ તા. ૧૮: વ્યાજની ઉઘરાણી માટે જંગલેશ્વરના યુવાન પર સાંજે ઘર નજીક તલવારથી હુમલો થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જંગલેશ્વર શેરી નં. ૧૧માં રહેતો શાહજંહા સુલેમાનભાઇ વિશર (સંધી) (ઉ.વ.૩૦) સાંજે સાતેક વાગ્યે ઘર નજીક ખ્વાજા ચોકમાં હતો ત્યારે હુડકો કવાર્ટરમાં રહેતાં ઇકબાલે આવી ઝઘડો કરી તલવારથી હઅુમલો કરી માથામાં ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. શાહજંહાના કહેવા મુજબ તે કારખાનામાં મજૂરી કરે છે. ઘરમાં પૈસાની જરુર ોઇ ઇકબાલ પાસેથી બે મહિના પહેલા ૩૦ હજાર વ્યાજે લીધા હતાં. તેની સામે રોજના ૫૦૦ લેખે ૨૦ હજાર ભરી દીધા હતાં. ૫ હજાર ચુકવવાના બાકી રહી ગયા હોઇ તેની ઉઘરાણી કરી ઇકબાલે તલવારથી હુમલો કર્યો હતો.

(4:41 pm IST)