Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

રેલનગરમાં ભાવનગરથી રિસામણે આવેલી રિનલ પ્રજાપતિનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૧૮: ભાવનગર સાસરૂ ધરાવતી અને કેટલાક મહિનાથી રાજકોટ રેલનગર સાધુ વાસવાણી કુંજ અમૃત પુષ્‍પ આર્કેડમાં માવતરના ઘરે રિસામણે આવેલી રિનલ મેહુલ સોરઠીયા (પ્રજાપતિ) (ઉ.૨૨) નામની પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

રિનલ એક ભાઇથી નાની હતી અને ચાર વર્ષ પહેલા તેના લગ્ન થયા હતાં. સાસરિયામાં કલેશ ચાલતો હોઇ છએક માસથી તે રાજકોટ માવતરે રિસામણે આવી હતી. તેનો પતિ દરજી કામ કરે છે. બપોરે રિનલે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ એસ. આર. જોગરાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:54 pm IST)