Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

જાગનાથમાં 'એકલવ્ય ચોક કા રાજા': કાલે વિસર્જન

જાગનાથ પ્લોટ વિસ્તારમાં ગોપાલેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા એકલવ્ય ચોક કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું વિસર્જન કાલે રવિવારે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રોજ સવારે ૮ કલાકે અને સાંજે મહાઆરતી કરવામાં આવી હતી અને પ્રસાદ વિતરણ થયો હતો. આસપાસની સોસાયટીના લોકોએ દર્શનનો લ્હાવો લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા રાજેશભાઈ બોરાણા, વિજય પરમાર, ગોપાલ બોરાણા, જીજ્ઞેશભાઈ લીંબાસીયા, રામભાઈ મુંધવા, જગદીશ માંગલીક, યોગેશ વાઘેલા તથા સ્વયંસેવકો અશોક કોઠારી, રંજનીભાઈ, ભદ્રેશ મશરૂ, રાજુભાઈ મુંધવા, સંજયભાઈ રાઠોડ, કિશોર જોશી, ભરતભાઈ મુંધવા, કાનાભાઈ મુંધવા, હિતેશભાઈ મુંધવા, અનિલ બોરાણા, મિલિન્દ પરમાર, દર્શન વાઘેલા, પ્રિત મુંધવા, શુભમ ઝાપડા અને વિરમ મુંધવાએ જહેમત ઉઠાવી હતી.

(3:01 pm IST)