Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

પંચશીલ સોસા. દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી તેમજ દંડક સુરેન્દ્રસિંહ વાળાનો સત્કાર સમારંભ યોજાયો

રાજકોટઃ અત્રે ગોંડલ રોડ, રાજકોટ ખાતે આવેલ પંચશીલ કો. ઓપ. હાઉસીંગ સોસાયટી દ્વારા નવરાત્રી દરમ્યાન સોસાયટીના સભ્યો અને આમંત્રિત મહેમાનો માટે નવરાત્રી મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રીના છેલ્લા નોરતે સોસાયટીના પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાની દંડક તરીકે વરણી થવા બદલ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે અતુલભાઈ શેઠ, કિરીટસિંહ પરમાર, યશપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા અને સોસાયટીના કારોબારી સભ્યો વતી સન્માનિત કરવામાં આવ્યા હતા. નવરાત્રી મહોત્સવ દરમ્યાન ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, જયંતિભાઈ સરધારા, ડો. ડી.કે. વાડોદરીયા, કેપ્ટન જયદેવ જોષી, નિતીનભાઈ રામાણી, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, હર્ષલ માંકડ, ડો. ફાલ્ગુની સુરેજા, ડો. પૂર્વી મહેતા, ડો. જગમાલ ઘુસર સહિતના મહાનુભાવો આ મહોત્સવમાં મહેમાન બન્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સોસાયટીના પીઆરઓ અને નવરાત્રી કમિટીના ચેરમેન પ્રકાશસિંહ જાડેજા, સીઈઓ યોગીરાજસિંહ જાડેજા, દિપકભાઈ ડોબરીયા, જયેશભાઈ વાઢેર, રમેશભાઈ રાઠોડ તેમજ સમગ્ર કારોબારી સમિતિએ જવાબદારી નિભાવી હતી. તેવું પંચશીલ સોસાયટીના પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાની યાદીમાં જણાવેલ છે.

(3:58 pm IST)