Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

રામનાથપરા પોલીસ લાઇન સામે બીમારી સબબ અજાણ્યા યુવાનનું મોત

યુવાન શેખલીયા તરીકે ઓળખાતોઃ જમણા હાથે અંગ્રેજીમાં એ.એમ. તથા ડાબા હાથે શાંતીભાઇ ત્રોફાવેલ છે

રાજકોટ, તા.૧૮: રામાથપરા મેઇન રોડ પોલીસ લાઇનની સામે અજાણ્યા યુવાનનું બીમારી સબબ મોત નિપજયુ છે. મળતી વિગત મુજબ રામનાથપરા મેઇન રોડ પોલીસ લાઇન સામે કલ્પેશ ટ્રેડર્સની બાજુમાં એક અજાણ્યો યુવાન (ઉ.વ.૩૦) બીમારી સબબ બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંૈચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવ હતી. જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ મુકેશભાઇ તથા દેવાંગભાઇ પાલાએ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાને કોફી કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ, કમરના ભાગે વાદળી કલરની શાલ બાંધેલ છે અને જમણા હાથે અંગ્રેજીમાં એ.એ.તથા પતંગીયા અને ડાબા હાથ શાંતીભાઇ ત્રોફાવેલ છે સ્થળ તપાસમાં શેખલીયા તરીકે ઓળખાતો હતો. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો એ ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન નં.૦૨૮૧-૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુંછે.

(4:53 pm IST)