Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

નવલનગરમાં મકાનમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભુકી : ઘરવખરી બળીને ખાક

ઘરમાં કપડા, ગાદલા, ગોદળા, કબાટ, ટીવી, પંખા સહિતનો સામાન બળી ગયો

રાજકોટ : નવલનગર શેરી નં. ૩ના છેડે આવેલા મકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જાણ થતાં ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગને કાબુમાં કરી હતી. નવલનગર શેરી નં. ૩ના છેડે આવેલા શ્રીરામ કૃપા નામના મકાનમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. રૂતુરાજસિંહ નામના વ્યકિતએ જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફ એક ફાયર ફાઇટર સાથે તાકીદે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી હતી. આગ મકાનની અંદરના રૂમમાં લાગી હતી. આગમાં રૂમમાં પડેલા ગાદલા, ગોદળા, કપડા, કબાટ, ટીવી સહિતની ઘરવખરીનો સામાન બળી ગયો હતો. આગ ઇલેકટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું ફાયરબ્રિગેડના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

(2:47 pm IST)