Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

થોરાળાના કિશોરભાઇ વાઘેલાનું બેભાન હાલતમાં મોત નિપજ્યું

રાજકોટ તા. ૧૮: નવા થોરાળા ચારબાઇના સ્થાનક પાસે રહેતાં કિશોરભાઇ મોહનભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) નામના યુવાનનું બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું.

કિશોરભાઇ સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. મૃતક બફના કારખાનામાં કામ કરતો હતો. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. દારૂ પીવાની ટેવ હોઇ કેટલાક સમયથી તેની તબિયત સારી રહેતી નહોતી. ગઇકાલે હાલત વધુ બગડી હતી અને હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.

બેડીમાં અશોકે ફિનાઇલ પીધું

મોરબી રોડ પર આવેલા વાછકપર બેડીમાં રહેતાં અને કારખાનામાં કામ કરતાં અશોક નજરસીભાઇ જાદવ (ઉ.૨૬) નામના યુવાને મગજના દુઃખાવાથી કંટાળી જઇ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરાઇ હતી. સારવાર બાદ અશોકને રજા અપાઇ હતી.

(2:51 pm IST)