Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

રવિવારે મા બગલામુખી પિતાંબરી માતાજીનો યજ્ઞ

રાજકોટઃ પીતાંબરા પીઠ શોધ સંસ્‍થાન તથા પીતાંબર પરિવાર રાજકોટ દ્વારા સૌના પરિવાર માં સુખ, શાંતિ, સમૃધ્‍ધિ વધે તેમજ સમાજમાં ધર્મ ભકિત વધે તેવા શુભ હેતુથી દર મહિને નિઃશુલ્‍ક માં બગલામુખી પીતાંબરા માતાજીનો યજ્ઞ કરવામાં આવે છે. આ મહિનાનો યજ્ઞ તા.૨૦ને રવિવારના રોજ સવારે ૧૦ વાગ્‍યે દિપકભાઈ રાવલ, મો.૯૧૦૬૨ ૫૯૪૪૬, સી-૨૦૨, ગોલ્‍ડન પોર્ટીકો એપાર્ટમેન્‍ટ, મોરબી ઓવરબ્રીજ પાસે, માધાપર પોસ્‍ટ ઓફિસ સામે, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. સર્વે માઈ ભકતોને લાભ લેવા હિમાંશુભાઈ જોશી મો.૯૮૨૪૨ ૦૮૫૦૩ની યાદીમાં જણાવેલ છે.

(4:10 pm IST)