Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

જનકલ્‍યાણ ટ્રસ્‍ટ દ્વારા નિરાધાર વિધવા બહેનોને રાશન કીટ વિતરણ

રાજકોટઃ ‘‘જન સેવા એજ પ્રભુ સેવા'' ના ધ્‍યેય સાથેશ્રી જન કલ્‍યાણ ટ્રસ્‍ટ નવલનગરના પ્રમુખ સવજીભાઇ મૈયડની રાહબરી નીચે જરૂરીયાત મંદ ગંગા સ્‍વરૂપ મહિલાઓને પ૧ રાશનકીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે મેયર પ્રદીપભાઇ ડવ, ધોરાજી-ઉપલેટાના ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ પાડલીયા, પડધરી ટંકારાના પૂર્વ ધારાસભ્‍ય બાવનજીભાઇ મેતલીયા, આર.એસ.એસ.ના કાર્યવાહક કિશોરભાઇ મૂંગલપરા, મનસુખભાઇ બાલા, વોર્ડ નં.૧૩ ના કોર્પોરેટરઓ જયાબેન હરિભાઇ ડાંગર અને સોનલબેન સોનારા, જીલ્લા ભાજપ મંત્રી પ્રાગજીભાઇ કાકડિયા, પ્રેસ-મીડીયા ઇન્‍ચાર્જ અરૂણભાઇ નિર્મળ, જીલ્લા ભાજપ શિક્ષણ સેલ કન્‍વીનાર બીપીનભાઇ સાવલીયા, જીલ્લા ભાજપ કાર્યાલય મંત્રી અલ્‍પેશભાઇ અગ્રાવત, વિવેક સાતા સહીતના મહાનુભાવ ઉપસ્‍થિત રહ્યા હતા અશોકભાઇ સેતાએ મહેમાનોનું શાબ્‍દિક સ્‍વાગત કરેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા મહિલા મંડળના ગીતાબેન સોજીત્રા, શીતલબેન મૈયડ, કુસુમબેન વેકરીયા વગેરેએ ખુબજ સહકારથી કાર્ય સંભાળ્‍યું હતું. સંસ્‍થાના પ્રમુખ ટ્રસ્‍ટી ભરતભાઇ બારડ, વી.સી.પરમાર, હસુભાઇ ચાવડા, મનુભાઇ પાપડવાળા, કિરીટભાઇ મૈયડ, કેવિનભાઇ મૈયડ, જીતુભાઇ મૈયડ, વિમલભાઇ ડાંગર, લખનભાઇ, મનીષભાઇ મૈયડ ટ્રસ્‍ટીગણ અને સ્‍વયંસેવક મિત્રોએ જહેમત ઉઠાવી હતી ઉપરાંત કાર્યક્રમને સુઆયોજિત રૂપ ઇન્‍દ્રજીતસિંહએ આપ્‍યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન આર.ડી.સોજીત્રાએ સંભાળ્‍યું હતું. કાર્યક્રમ શરૂ કરતા પહેલા ટ્રસ્‍ટના દિવંગત થયેલ સભ્‍યોને યાદ કરી બે મીનીટ મૌન પાળી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી કાર્યક્રમમાં આભારવિધિ ધીરૂભાઇ મૈયડએ કરી હતી.

(3:33 pm IST)