Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

શિવસેના દ્વારા સૌરાષ્‍ટ્ર અને રાજકોટના હોદેદારોની નિમણૂંક

સૌરાષ્‍ટ્ર સંયોજક જયપાલસિંહ જાડેજા, રાજકોટ જિલ્‍લા પ્રમુખ ચંદુભાઇ પાટડીયા, જિલ્‍લા ઉપપ્રમુખ સંજય ટાંક, નિલેશ ચૌહાણ

રાજકોટઃ શિવસેનાના મુખ્‍ય નેતા અને મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી શ્રી એકનાથ શિંદે દ્વારા રાજકોટના શ્રી જીમ્‍મીભાઇ અડવાણીને શિવસેના(બાળસાહેબ કી)ને ગુજરાત રાજયના પ્રભારી તેમજ શ્રી સતીષ આર.પાટીલને ગુજરાત રાજય પ્રમુખ તેમજ સુરેશભાઇ રાવલને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરીને નિયુકત કરાયેલ હતા.

આ અંતર્ગત સૌરાષ્‍ટ્રના સંયોજક તરીકે જયપાલસિંહ જાડેજા, રાજકોટ જિલ્‍લા પ્રમુખ તરીકે ચંદુભાઇ પાટડીયા, જિલ્‍લા ઉપપ્રમુખ તરીકે સંજયભાઇ ટાંક, જિલ્‍લા ઉપપ્રમુખ તરીકે નિલેશભાઇ ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે.

(4:03 pm IST)