Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

માધાપર એસટી ડેપો ઉપર આજથી એડવાન્સ બુકીંગ અને મુસાફર પાસની સુવિધા શરૂ કરાઈ

Alternative text - include a link to the PDF!

રાજકોટ, તા. ૧૯ :. જામનગર રોડ ઉપર માધાપર ચોકડી પાસે રાજકોટ એસટી તંત્રે ૭ પ્લેટફોર્મનો નવો એસટી ડેપો શરૂ કર્યો છે, જ્યાંથી જામનગર-જૂનાગઢ-મોરબી રૂટની કુલ ૭૦ ટ્રીપો શરૂ કરાઈ છે.

દરમિયાન રાજકોટ એસટી ડેપો મેનેજર શ્રી વડગામાએ 'અકિલા'ને જણાવ્યુ હતુ કે આજથી માધાપર એસટી ડેપો ઉપર એડવાન્સ બુકીંગ અને મુસાફર પાસની સુવિધા શરૂ કરી દેવાઈ છે. તે માટે બે કાઉન્ટર ખોલાયા છે. તેમણે જણાવેલ કે માધાપર એસટી ડેપો ઉપર હવે ટ્રાફીક વધવા માંડયો છે. ૪૦થી ૪૨ બસની કુલ ૭૦થી વધુ ટ્રીપો ચાલુ થઈ ગઈ છે.

(11:38 am IST)