Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

આદીવાસી ભીલ સમાજનો ભારે અન્યાય

જે વોર્ડમાં ભીલ જ્ઞાતિના લોકો રહેતા જ નથી ત્યાં એસ.ટી.ની સીટ ફાળવીએ પણ કોઈ અન્ય જ્ઞાતિનેઃ રાઠોડ- ભેંમીયાતરનો આક્રોશ

રાજકોટ,તા.૧૯:  આદીવાસી ભીલ સમાજને ભારે અન્યાય થઈ રહ્યો હોવાનું ઉત્તમ રાઠોડ, નીલેશભાઈ ભેમીયતરે જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે વોર્ડ નં.૧૫ કે જયાં ભીલ જ્ઞાતિના લોકો રહેતા જ નથી તે વોર્ડમાં એસ.ટી.ની સીટ ફાળવી દેવામાં આવી છે અને ત્યાં પણ કોઈ અન્ય જ્ઞાતિનાને ટિકિટ ફાળવવામાં આવી છે.

વોર્ડ નં.૧ અથવા તો વોર્ડ નં.૭માં અનામત બેઠક ફાળવવાની માંગ પણ કરવામાં આવી હતી. આમ છતાં કોઈ નોંધ લેવામાં આવી ન હોવાનું ઉતમભાઈ રાઠોડ અને નિલેશભાઈ ભેમીયાતરે અંતમાં જણાવ્યું હતું.

(4:02 pm IST)