Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

વોર્ડ નં.૨માં કોંગ્રેસના ઉમેદવારોની પેનલને આવકાર

રાજકોટઃ મહાપાલીકાની ચૂંટણીમાં વોર્ડ નં.૨માં કોંગ્રેસના સદા જાગૃત ઉમેદવારોની પેનલ મેદાનમાં છે, વોર્ડ નં.૨માં અતુલભાઈ રાજાણી, યુનુશભાઈ જુણેજા, દિવ્યાબા જાડેજા, નિમિષાબેન રાવલને જંગી લોક સમર્થન મળ્યું છે, ઘરે ઘરે લોક સંપર્ક દરમિયાન લોકોએ મારૃં ઘર કોંગ્રેસનું ઘર સૂત્ર ગુંજતું કર્યું છે. પગપાળા અને ઘરે ઘરે ફરીને કરવામાં આવેલા ચૂંટણી પ્રચારમાં લોકોએ ફૂલડે વધાવીને આવકાર્યા છે, ચારેય ઉમેદવારો સુશિક્ષિત છે અને સદા લોકોસેવા માટે તત્પર રહેતા હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ ચારેય ઉમેદવારો પૈકી અતુલભાઈ રાજાણીને તો ૧૦૮નું બિરૂદ જનતાએ આપ્યું છે ત્યારે અતુલભાઈ અને તેની સાથેની પેનલના યુનુશભાઈ જુણેજા, દિવ્યાબા જાડેજા, નિમિષાબેન રાવલ વિસ્તારના જ રહેવાસી છે અને આ વિસ્તારમાં લોકોની સમસ્યાઓથી અવગત હોવાનું યાદીમાં જણાવાયું છે.

 આ વખતે કોંગ્રેસ ભાજપનાં કિલ્લામાં ગાબડું પાડશે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ૧૦૮ની પેનલમાં ટેકામાં રાજકોટનાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરૂ, કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, ગુજરાત કોંગ્રેસના લીડર ડો.હેમાંગ વસાવડા, એનએસયુઆઈના લીડર ડો.રાજદિપસિંહ જાડેજા, વોર્ડ નં.૨નાં પ્રમુખ કૃષ્ણદત્ત રાવલ, વોર્ડ નં.૨નાં કાર્યાલય ઈન્ચાર્જ અને કોંગ્રેસનાં લીડર નીતિન નથવાણી, રાજકોટ મહિલા કોંગ્રેસનાં પ્રમુખ મનીષાબા વાળા સહિતનાં  જોડાયા હોવાનું યાદીમાં જણાવાયું છે.

(4:03 pm IST)