Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

શિવસેના દ્વારા શિવાજીની વંદના

શિવાજી મહારાજનો જન્મ જયંતિ નિમિતે શિવસેના રાજકોટ એકમ દ્વારા રેસકોર્ષ ખાતે આવેલી

શિવાજી મહારાજની પ્રતિમાને સવારે પુષ્પહાર કરીને ભાવવંદના કરાયા હતા. આ પ્રસંગે શિવસેના હોદેદારો અને રાષ્ટ્રપ્રેમી જનતાને એક બીજાના મોંમીઠા કરાવીને આ મંગલ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સહયોગી સંસ્થાઓ શિવાજી ગ્રાહક સુરક્ષા સેના, શિવાજી સેવા સંઘ, ભારતીય કામદાર સેના, ભવાની સેના, રાજકોટ રિજયન કલબ, સહિતના અગ્રણીઓ જોડાયા હતા. શિવસેનાના પ્રદેશ અગ્રણી જીમ્મીભાઇ અડવાણી, જયપાલસિંહ જાડેજા, ચંદુભાઇ પાટડિયા, સંજયભાઇ ટાંક, નિલેષ ચૌહાણ, જયદિપસિંહ બારડ, બિપિન મકવાણા, ભરત મકવાણા, કિસાન સિધ્ધપુરા, વંદન ટાંક, ધવલ કાચા, પ્રકાશ ઝિઝુવાડીયા, રાજન દેસાણી, વિમલ નૈયા, કરણ મકવાણા, પ્રકાશભાઇ કાપડી, હાર્દિક વિઠ્ઠલાણી, વૈભવ મરાઠી, સહિતનાઓએ ફુલહાર કરીને ભાવવંદના કરી હતી.

(4:03 pm IST)