Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કોંગ્રેસના વશરામ સાગઠીયાએ મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ સામે આંગળી ચીંધી એ...ભાઇ એમ કહેતા બોર્ડમાં ગરમાવો

રાજકોટઃ આજે મળેલા જનરલ બોર્ડમાં પુર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ પોતાનો પ્રશ્નનો જવાબ આપ્યા વગર બીજા સાથે કેમ ચર્ચા ચાલુ કરી દીધી તેવા આક્ષેપો સાથે મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ સામે 'એ....ભાઇ...' એમ કહી આંગળી ચીંધી આક્રમકતા દેખાડતા સભા અધ્યક્ષ મેયર પ્રદીપ ડવ પણ વશરામ સાગઠીયાની આ વર્તણુક સામે ઉકળી ઉઠયા હતા અને વશરામભાઇને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે' મ્યુ. કમિશ્નર એક સનદી અધિકારી છે તેથી બોર્ડમાં આ પ્રકારે તેઓની સામે ગેરબંધારણીય આક્રમકતા દેખાડી શકાય નહી.' આનાથી સમગ્ર જનરલ બોર્ડની ગરીમાનું ખંડન થાય છે. માટે ફરીથી આ પ્રકારની વર્તણુંક નહી કરવા મેયરશ્રીએ શ્રી સાગઠીયાને ટકોર કરી હતી. અન્ય તસ્વીરમાં સ્ેડેન્ડીંગ કમીટીના સભ્યોએ પણ વશરામ સાગઠીયાની આ વતર્ણુંક સામે ઉગ્ર વિરોધ દર્શાવેલ. તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:12 pm IST)