Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

રાજકોટમાં કોંગ્રેસની સૌરાષ્‍ટ્ર ઝોનની કારોબારી બેઠક શરૂ

જગદીશભાઈ ઠાકોર, ડો.રઘુ શર્મા સહિતના નેતાઓની ઉપસ્‍થિતિ : પંજો ચોમેર છવાય તેવો વ્‍યૂહ ઘડશે, જનતાને પડતી મુશ્‍કેલીઓના પ્રશ્ને ચિંતન - વિચાર વિમર્શ

રાજકોટ : તા. ૧૯: ગુજરાત પ્રદેશ કોંગ્રસનાં આગેવાનો ડો.હેમાંગભાઇ વસાવડા, અશોકભાઇ ડાંગર, ગાયત્રીબા વાઘેલા, જસવંતસિંહ ભટ્ટી, મહેશભાઇ રાજપુત, ડી.પી. મકવાણા, ભરતભાઇ મકવાણા, મુકેશભાઇ ચાવડા, ગોપાલભાઇ અનડકટ, વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, કોપોરેટર મકબુલભાઇ દાઉદાણી , ફ્રન્‍ટલ સેલના આગેવાનો નરેશભાઇ સાગઠીયા, રણજીતભાઇ મુંધવા, યુનીસભાઇ જુનેજા, કોંગ્રેસ આગેવાનો અતુલભાઇ રાજાણી, પ્રવીણભાઇ રાઠોડ, કૈયુરભાઇ મસરાણી, મનીષાબા વાળા, રાજદિપસિંહ જાડેજા, નિલેષભાઇ સોલંકી, આશિષસિંહ વાઢેર, ભાર્ગવભાઇ પઢીયાર, મુકેશભાઇ પરમાર, ઘનશ્‍યામભાઇ મકવાણાની સંયુકત યાદીમાં જણાવેલ છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતી દ્વારા સોેરાષ્‍ટ્ર ઝોનની વિસ્‍તુત કારોબારી રાજકોટમાં આજે તા.૧૯ના ગુરૂવારે હેમુ ગઢવી હોલમાં બપોરના ૧ થી સાંજે ૫ વાગ્‍યા સુધી યોજાએલ છે.

સમગ્ર સોેરાષ્‍ટ્ર, તમામ જીલ્લા, તાલુકા, મહાનગરો તથા નગરપાલીકાના જવાબદાર આગેવાનો સાથે મળી ગુજરાતમાં શાસન પરિવર્તનનો સંકલ્‍પ કરશે. આગામી ચુંટણીને અનુલક્ષીને પ્રજાને વર્ષો જુના આતતાયી શાસનમાંથી મુકિત અપાવવા મંથન, ચીંતન ,વિચાર વિમર્શ કરશે.

આ પ્રસંગે આગામી ધારાસભાની ચુંટણીમાં સરળતાથી સોેરાષ્‍ટ્રની તમામ બેઠકોમાં પ્રજાની લાગણીનો પડઘો પડે  અને પંજાના ઉમેદવારો વિજય પામે તેવી વ્‍યુહરચના, સર્વાનુંમતે કંડારવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતનાં કર્મઠ અને વિચક્ષણ પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર તેમજ ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્માજી ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા તમામ પુર્વ પ્રદેશ પ્રમુખશ્રીઓ, તમામ પૂર્વ વિપક્ષી નેતાશ્રીઓ, તમામ એ.આઇ.સી.સી. ના સહ પ્રભારીઓ તેમજ ગુજરાત કોંગ્રેસની અગ્રીમ હરોળની નેતાગીરી માર્ગદર્શન પુરૂ પાડશે. તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીની યાદીમાં જણાવાયુ છે.

(11:34 am IST)