Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

શહેર ભાજપ કાર્યાલય ખાતે કાલે અનુસુચિત જાતિ મોરચાની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળશે

સવારે ૧૧ વાગ્યે પ્રદેશ અનુ.જાતિ.મોરચાના પ્રધ્યુમનભાઇ વાજા સહીતના આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશેઃ રાજુ અઘેરા, મહેશ રાઠોડ

રાજકોટ, તા.૧૯: પ્રદેશ અનુ.જાતિ મોરચાના ઉપપ્રમુખ રાજુ અઘેરા તથા શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયુ છે કે સંગઠન સંરચના બાદ સમગ્ર ગુજરાતભરમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં વિવિધ મોરચાઓની રચના બાદ સંગઠન પ્રક્રિયા વધુ તેજ બને તે અંતર્ગન પ્રદેશ અનુ.જાતિ મોરચાના ઉપપ્રમુખ પ્રધ્યુમનભાઇ વાજા, મહામંત્રી વિક્રમભાઇ ચૌહાણ અને ગૌતમભાઇ ગેડીયાની આગેવાની હેઠળ ગુજરાતના ચાર ઝોનમાં ઝોનવાઇઝ બેઠકનું આયોજન કરવામાં આવી રહયુ છે જે અંતર્ગત આવતીકાલ તા.૨૦ને રવિવારે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સવારે ૧૧  અનુ.જાતિ મોરચાની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાશે, જેમાં પ્રદેશ અધ્યક્ષ પ્રધ્યુમનભાઇ વાજા, મહામંત્ર વિક્રમભાઇ ચૌહાણ, ગૌતમભાઇ ગેડીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઇ અઘેરા, જીતુભાઇ મણવર, પ્રદેશમંત્રી બાબુભાઇ ચાવડા, અનીલભાઇ ગોહેલ, પ્રદેશ અનુ.જાતી મોરચાના કાર્યાલય મંત્રી અરવીંદભાઇ કટપરા સહીતના ઉપસ્થિત રહી આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપશે. આ સૌરાષ્ટ્ર ઝોન બેઠકમાં પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધનસુખભાઇ ભંડેરી, નિતીન ભારદ્વાજ, લાખાભાઇ સાગઠીયા, ભાનુબેન બાબરીયા સહીતના ઉપસ્થિત રહેશે. આ બેઠકને સફળ બનાવવા ભાજપ અનુ.જાતી મોરચાના પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, વજુભાઇ લુણાસીયા જહેમત ઉઠાવી રહયા છે.

(3:29 pm IST)