Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ભારે વરસાદની ચેતવણીએ રાજકોટમાં સાંજે NDRF ટીમનું આગમનઃ બે ટીમ સોમનાથ-મોરબી મૂકાઇ

દિલ્હીથી કુલ ૮ ટીમો ફાળવાઇઃ રાજકોટમાં ઘંટેશ્વર ખાતે જવાનો રહેશે

રાજકોટ તા. ૧૯ :.. રાજયના હવામાન ખાતાએ આગામી ર થી ૩ દિવસમાં ભારે વરસાદની અને તોફાની પવનની ચેતવણીએ દિલ્હીથી રાજકોટ સહિત ગુજરાતભર માટે કુલ ૮ ટીમો એનડીઆરએફ ની મોકલાઇ છે. કલેકટર કચેરીના સૂત્રોના કહેવા મુજબ રાજકોટમાં સાંજે ર૭ જવાનો કમાઉન્ડન્ટ સાથેની એક ટીમ આવી જશે, જયારે એક ટીમ સોમનાથ અને મોરબી જીલ્લા માટે ફાળવાઇ છે, રાજકોટની ટીમ ઘંટેશ્વર ખાતે રોકાણ કરશે, આ ઉપરાંત વડોદરા-સુરત-મહેસાણા પણ ટીમો મોકલાઇ છે.

(4:38 pm IST)