Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

બળાત્‍કાર અને પોકસોના ગુનામાં જામીન પર છૂટયા બાદ નાસતો ફરતો નયન દાફડા પકડાયો

ભકિતનગર પોલીસે વોરંટના આધારે દબોચ્‍યો

રાજકોટ તા. ૧૯ : શહેરના ભકિતનગર પોલીસ મથકમાં નોંધાયેલા પોકસો અને બળાત્‍કારના ગુનામાં જામીન પર છૂટયા બાદ નાસતા ફરતા શખ્‍સને ભકિતનગર પોલીસે વોરંટના આધારે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં વચગાળાના જામીન પર છૂટયા બાદ ફરાર તેમજ પેરોલ જંપ કરનારા અને કોર્ટના સજાના વોરંટમાં ઘણા સમયથી ફરાર શખ્‍સોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે સૂચના આપતા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ ઇન્‍ચાર્જ પીએસઆઇ એચ.એન.રાયજાદા સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે ભકિતનગર પોલીસ મથકમાં નોંધાયેલ પોકસો અને બળાત્‍કારના ગુનામાં જામીન પર છૂટયા બાદ ફરાર નયન વિનોદભાઇ દાવડા (રહે. મકરપુરા એરફોર્સની પાછળ નંદનધામ સોસાયટી, વડોદરા)ને પકડી પાડવા માટે કોર્ટે વોરંટ ઇશ્‍યુ કરતા ભકિતનગર પોલીસ મથકના કોન્‍સ. વાલજીભાઇ જાડા, રાજદીપસિંહ જાડેજા અને અરવિંદભાઇ ફતેપરાને બાતમી મળતા સર્વેલન્‍સ સ્‍કવોડના ઇન્‍ચાર્જ એચ.એન.રાયજાદા સહિતના સ્‍ટાફે નયનને પકડી લઇ વોરંટની બજવણી કરી હતી.

(4:08 pm IST)