Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

રાજકોટની સગીરાનું અપહરણ કરનાર ઓમપ્રકાશ બિહારથી ઝડપાયો

ભકિતનગર પોલીસે પી.એસ.આઇ. એ.જે.લાઠીયા સહિતની કામગીરી

રાજકોટ,તા. ૧૯ : શહેરના કોઠારિયા રોડ વિસ્‍તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાના અપહરણના ગુનામાં સામેલ શખ્‍સને ભકિતનગર પોલીસે બાતમીના આધારે બિહારના ભોજપુરના મનીચ્‍છ પરાગામમાંથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ વિસ્‍તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને તા. ૨૩ના રોજ બિહારનો શખ્‍સ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી જતા ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી. આ બનાવમાં આરોપીને પકડી પાડવા માટે પોલીસ કમિશ્‍નર શ્રી રાજુ ભાર્ગવે તથા ડીસીપી સજનસિંહ પરમાર અને એસીપી બી.વી.જાધવે સુચના આપતા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ.એમ.એ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.જે.લાઠીયા સ્‍ટાફ સાથે ટેકનીકલ સોર્સ તથા ખાનગી બાતમીદારોની મદદથી આરોપી બિહારના ભોજપુર ગામમાં હોવાની પી.એસ.આઇ એ.જે.લાઠીયા, હેડ કોન્‍સ. મનરૂપગીરી ગૌસ્‍વામી અને કોન્‍સ. રવિભાઇ બાવળવાને બાતમી મળતા ભકિતનગર પોલીસની ટીમ બિહાર પહોંચી ત્‍યાં અધિક પોલીસ કમિશનરશ્રી સૌરભ તોલંબીયાનો સંપર્ક કરી તેની રાહબરી હેઠળ ભકિતનગર પોલીસે આરોપી ઓમપ્રકાશ રામાયણ રામ (ઉવ.૨૫)(રહે.મનીચ્‍છપરા મુતુકપુર પોસ્‍ટ, બરહારા, ભોજપુર બિહાર) થી પકડી લીધો હતો. આ કામગીરી પી.આઇ. મયુરધ્‍વજસિંહ સરવૈયા, પી.એસ.આઇ.એ.જે. લાઠીયા, એ.એસ.આઇ નિલેષભાઇ મકવાણા, હેડ કોન્‍સ. હીરેનભાઇ પરમાર, મનરૂપગીરી ગૌસ્‍વામી, કોન્‍સ. રવિભાઇ બાવળવા, રાજદીપસિંહ, હિતેન્‍દ્રસિંહ, હોમગાર્ડ હાર્દિકભાઇ અને દિપકભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:11 pm IST)