Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

શહેરમાં શુક્રવારે માસ-મટન-મચ્‍છીના વેંચાણ પર પ્રતિબંધ : જાહેરનામુ

૨૫ નવેમ્‍બરે સાધુ વાસવાણી મિટ લેસ ડે નિમિતે કતલખાનાઓ બંધ રાખવા મ્‍યુનિ. કમિશનરનો હુકમ

રાજકોટ,તા.૧૯ : આગામી તા.૨૫ નવેમ્‍બરના રોજ ‘‘સાધુ વાસવાણી મીટ લેસ ડે''નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્‍તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્‍છી અને ચીકનનું વેંચાણ કે સ્‍ટોર કરવા પર પ્રતિબંધનું મ્‍યુનિ. કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યું છે. આ અંગે મનપાના જાહેરનામામાં જણાવ્‍યું છે કે, સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્‍તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ અન્‍વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. 

(4:08 pm IST)