Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

મુંજકામાં ભયજનક વીજ ટ્રાન્સફોર્મર : તંત્ર જાગશે?

રાજકોટ : મુંજકા વિસ્તારમાં સોમનાથ મહાદેવ મંદિર પાસે રહેણાંક વિસ્તારમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં વીજ કરંટ લાગવાથી અનેક વખત પશુ પક્ષીઓના મૃત્યુ થયા છે. કોઇ માનવ જીવ લેવાય એ પહેલા આ ટ્રાન્સફોર્મર અહીંથી દુર ખસેડવા આસપાસના લોકોએ માંગણી ઉઠાવી છે. તેમ છતા તંત્ર દાદ દેતુ ન હોવાનો આક્રોશ આ વિસ્તારના રહીશ એડવોકેટ સંદીપભાઇ સતાણીની યાદીમાં જણાવાયુ છે. થોડા સમય પહેલા એક બિલાડીનું પણ મૃત્યુ થયુ હતુ. આ વિસ્તારમાં પશુઓ પણ ફરતા હોય છે. નાના બાળકો રમતા હોય છે. ત્યારે આ જોખમી ટ્રાન્સફોર્મરને અન્ય જગ્યાએ શીફટ કરવા માંગણી ઉઠાવાઇ છે.

(3:53 pm IST)