Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

નવા ભારતની ગંગોત્રી ગુજરાત, ગુજરાતીઓ આપના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થવાની પરંપરા ચાલુ રાખજો

ઉદય કાનગડના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની જાહેર સભા : ગુજરાતના વિકાસમાં રોડા નાખનારાઓ ક્યારેય સફળ થવાના નથીઃ ઉદય કાનગડ : ગુજરાતના વિકાસના વિરોધીઓને પ્રજા ઓળખે : વિજયભાઇ રૂપાણી

રાજકોટઃ પૂર્વ વિધાનસભા-૬૮માં પાણીના ઘોડા પાસે પેડકરોડ પર હજારો લોકોની ઉપસ્થિતિમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાઍ જંગી જાહેર સભાને સંબોધન કરતા ભાજપને મત ઍટલે વિકાસને મત ઍવો મંત્ર આપ્યો હતો. તેમણે કહ્નાં હતું કે લોકશાહીના આ સૌથી મોટા પર્વમાં જો બટન સાચી જગ્યાઍ દબાય તો વિકાસ થાય છે પરંતુ જો બટન ખોટી જગ્યાઍ દબાય જાય તો તે વિનાશ નોતરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે શરૂ કરેલી વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીર્ઓ સુધી પહોંચી રહ્ના છે. નવા ભારતની ગંગોત્રી ગુજરાત છે. કેન્દ્ર સરકારે ગુજરાતને અનેક ભેટ આપી છે.

જે.પી. નડ્ડાઍ જણાવ્યું હતું કે, જવાહરલાલ નહેરુઍ દેશમાં ઍક ઍઈમ્સ શરુ કરી હતી, ત્યારબાદ અટલ બિહારી વાજપાઈના સમયમાં છ ઍઈમ્સ શરૂ થઈ હતી જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન રાજકોટ સહિત કુલ ૧૧ ઍઈમ્સ શરૂ થઈ છે. આ જ રીતે દેશમાં મેડીકલ કોલેજની સંખ્યા પણ વધારવામાં આવી છે.

જેપી નડ્ડાઍ કહ્નાં હતું કે  વિર સાવરકર વિષે ઍલફેલ બોલનાર રાહુલ ગાંધી ભારતને જોડવા નીકળા છે કે તોડવા ઍ ખબર પડતી નથી. આખો દેશ જાણે છે જેઍનયુમાં ટુકડે-ટુકડે ગેંગ દ્વારા દેશ વિરોધી સુત્રો પોકારવામાં આવ્યા હતા અને આ ગેંગને સમર્થન આપનારા લોકો આજે ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છે. ગુજરાત ભાજપના નેતાઓ જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે નર્મદા ડેમ પર પાટિયા મુકવા માટે પરવાનગી માંગી રહ્ના હતા. પરંતુ કેન્દ્રમાં રહેલી કોંગ્રેસ સરકાર કંઈ જ કરવા માગતી ન હતી મનમોહનસિંહ કંઈ જાણતા ન હોય તે રીતે કંઈ બોલવા તૈયાર ન હતા. હું ગુજરાતની જનતાને અપીલ કરૂં છુ કે

આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીઍ કહ્નાં હતું કે, આવનારી ચૂંટણી ગુજરાતના વિકાસને વધુ આગળ લઈ જવા માટે લડવામાં આવી રહી છે. દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે ઍટલે ગુજરાત માટે તો મોસાળે જમણ અને મા પીરસનાર હોય તેવી સ્થિતિ છે. ગુજરાતે માગ્યુ તે પૂર્વે જ દિલ્હીઍ ઘણું આપી દીધું છે. ઍક તરફ ગુજરાતને વિકાસની ટોચ પર લઈ જનારા લોકો છે જ્યારે સામી બાજુ ગુજરાતના વિકાસના વિરોધીઓ છે. પ્રજાઍ આ બંને વચ્ચેનો ફરક સમજીને મતદાન કરવાનું છે.

આ જાહેરસભાને રાજકોટ-૬૮ના ભાજપ ઉમેદવાર ઉદયભાઈ કાનગડે સંબોધતા કહ્નાં હતું કે, આ વખતની ચૂંટણી ઐતિહાસિક છે કારણ કે કેટલીક તાકાતો દેશ અને ગુજરાતની વિરૂધ્ધમાં છે અને વિકાસમાં રોડા નાખી રહી છે. આવા લોકો કયારેય સફળ થવાના નથી. આજે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ આપણને સૌને માર્ગદર્શન આપવા આવ્યા છે ત્યારે તેમની ઉપસ્થિતિમાં પક્ષના સંગઠનમાં નવી તાકાત જોવા મળી છે.

આ જાહેરસભામાં ભાજપના શહેર -મુખ કમલેશભાઈ મિરાણી, રાજ્યના મંત્રી અને રાજકોટ-૬૮ના વર્તમાન ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયા, ભાજપના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, રાજકોટ બિલ્ડર ઍસોસિઍશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતા.

 

(4:05 pm IST)