Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સુરેન્‍દ્રનગરના રેલ્‍વે સ્‍ટેશનમાંથી બેભાન મળેલા અજાણ્‍યા વૃધ્‍ધાનું રાજકોટમાં મોત

વાલીવારસ હોય તો પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૦: સુરેન્‍દ્રનગરના રેલ્‍વે સ્‍ટેશન પર પ્‍લેટફોર્મ નંબર ૪ ઉપરથી અજાણ્‍યા આશરે ૬૫ વર્ષના વૃધ્‍ધા બેભાન મળતાં સુરેન્‍દ્રનગર હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. બિમારીથી મોત થયાનું ખુલ્‍યું હતું. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ પરિચીત કે વાલીવારસ હોય તો સુરેન્‍દ્રનગર રેલ્‍વે પોલીસનો સંપર્ક કરવો. મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્‍પિટલના કોલ્‍ડ રૂમમાં રખાયો છે. ચોકીના સ્‍ટાફે સુરેન્‍દ્રનગર રેલ્‍વે પોલીસને જાણ કરી હતી.

 

(11:18 am IST)