Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

શહેરના પાંચ વોર્ડમાં મનપાની વિવિધ આવાસ યોજનાઓનું નામકરણ

અરવિંદભાઇ મણીયાર પુસ્‍તકાલયના બોર્ડ સભ્‍ય તરીકે આશાબેન ઉપાધ્‍યાયઃ વિવિધ ભરતીનું સેટઅપ સહિતની ૧૬ દરખાસ્‍તો મંજુર : ૧ પેન્‍ડીંગ

રાજકોટ તા. ૧૯ : મ્‍યુનિ. કોર્પોરેશનની આજે મળેલ સામાન્‍ય સભામાં મનપાની વિવિધ આવાસ યોજનાના મીરાબાઇ, લાલાલજપતરાય, શિવ, જીજાબાઇ, કલ્‍પના ચાવલા સહિતના મહાનુભાવોના નામ પરથી ટાઉનશીપનું નામકરણ, અરવિંદભાઇ મણિયાર પુસ્‍તકાલય બોર્ડ સભ્‍ય તરીકે આશાબેન રાજીવભાઇ ઉપાધ્‍યાય સહિતની ૧૬ દરખાસ્‍તો મંજુર તથા એક દરખાસ્‍ત પેન્‍ડીંગ રાખવામાં આવી છે.

આજની સભામાં ૧૭ દરખાસ્‍તો અંગે નિર્ણય કરવામાં આવ્‍યો હતો. જેમાં વાવડી - સિપાઇ સમાજ વકફ ટ્રસ્‍ટ - વાવડીને કબ્રસ્‍તાન માટે સરકારી ખરાબાની જમીનમાં નીમ કરવાની દરખાસ્‍ત પેન્‍ડીંગ રાખવામાં આવી છે.

આ ઉપરાંત વોર્ડ નં. ૧, ૪, ૧૦, ૧૧, ૧૨માં આવેલ મનપાની વિવિધ આવાસ યોજનાના નામકરણ, અરવિંદભાઇ મણિયાર પુસ્‍તકાલય બોર્ડ સભ્‍ય તરીકે આશાબેન રાવજીભાઇ ઉપાધ્‍યાય તથા શિક્ષણ સમિતિની ભાડુતી શાળાના મકાનો મૂળ માલિકને પરત સોંપવા, વિવિધ વિભાગોનો સ્‍ટાફ સેટઅપ રિવાઇઝ કરવા સહિતની ૧૭ દરખાસ્‍તો અંગે નિર્ણય કરવામાં આવ્‍યો હતો.

(3:29 pm IST)