Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

મધ્‍યપ્રદેશ અને સૌરાષ્‍ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ વચ્‍ચે નિકાસ વેપાર વૃધ્‍ધિ માટે થયા કરાર

રાજકોટ : મધ્‍યપ્રદેશ - ઇન્‍દોર ખાતે યોજાયેલ ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટર સમિટમાં સૌરાષ્‍ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળે મહત્‍વની ભુમિકા ભજવી હતી. મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રીશ્રી અને ઇન્‍દોરના મેયરશ્રી સાથે મીટીંગ કરી નિકાસ વેપાર વૃધ્‍ધિ માટેના કરારો કરાયા હતા. દરમિયાન આગામી તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરીના રાજકોટમાં યોજાનાર એસવીયુએઅ-૨૦૨૩ આંતરરાષ્‍ટ્રીય વેપાર મેળામાં ભાગ લેવા માટે એસોસીએશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ ઓફ મધ્‍યપ્રદેશના સભ્‍યો દ્વારા સ્‍ટોલ બુક કરાયો હતો. તેમ સૌરાષ્‍ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરા (મો.૯૪૨૬૨ ૫૪૬૧૧) ની યાદીમાં જણાવાયુ છે.

(4:02 pm IST)