Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

વિધાનસભાના સત્ર બાદ નવા કુલપતિ સહિતની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે : શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ

પેપર લીક સહિતના અનેક પ્રકરણની તપાસ થયા બાદ પગલા લેવાશે

રાજકોટ, તા. ૨૦ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના આંગણે આજે ૫૭મો પદવીદાન સમારોહ શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો.  પદવીદાન સમારોહ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્‍યુ હતું કે, આગામી વિધાનસભાના સત્ર બાદ મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સાથે ચર્ચા વિચારણા કરી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સહિત તમામ યુનિવર્સિટીના કુલપતિ તેમજ અન્‍ય મહત્‍વની જગ્‍યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ઋષિકેશભાઈ પટેલે વધુમાં જણાવ્‍યુ હતું કે નવી શિક્ષણનીતિનો અમલ અસરકારક રીતે થાય તે માટે પ્રાથમિક, માધ્‍યમિક તેમજ ઉચ્‍ચ શિક્ષણમાં લાગુ કરવામાં આવશે.

શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે વધુમાં જણાવ્‍યુ હતું કે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પેપર લીક તેમજ અધ્‍યાપક સતામણી પ્રકરણ સહિતના મુદ્દે યોગ્‍ય તપાસ કરી પગલા ભરવાનો નિર્દેશ કર્યો હતો.

(4:39 pm IST)