Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

કાશીમાં ભાગવત કથા : રાજકોટના જનકભાઇ મહેતા વ્‍યાસાસને ધંધુકાના રામી માળી પરિવારનું આયોજન

રાજકોટ, તા. ર૦ :  ઉત્તરપ્રદેશના સુપ્રસિધ્‍ધ તિર્થસ્‍થાન કાશી (વારાણસી) ના સ્‍વામિનારાયણ મંદિર, મચ્‍છોદરી પાર્ક ગાયઘાટ ખાતે ગુજરાતના ધંધુકાના રામી માળી પરિવાર, શ્રી વિહુળીમાં ગૃપ દ્વારા કાલે તા. ર૧ થી ર૭ મે શુક્રવાર સુધી શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરાયેલ છે. જેના વ્‍યાસાસને રાજકોટ સ્‍થિત જાણીતા કથાકાર શાષાી શ્રી જનકભાઇ મહેતા, ડોડીયાળાવાળા બિરાજી સંગીતમય શૈલીમાં કથા શ્રવણ કરાવશે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧ વાગ્‍યા સુધીનો છે. ઇન્‍ટરનેટના માધ્‍યમથી કથાના લાઇવ પ્રસારણનો લાભ મળી શકશે.  Live Katha : Shashtriji Janakbhaimehta.

(1:03 pm IST)