Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

સણોસરામાં પ્રભાબેન સાગઠીયાનું અગ્નિસ્‍નાનઃ રાજકોટ સારવારમાં

ભૂકંપ આવ્‍યો ત્‍યારથી માનસિક સમતુલા ગુમાવી દીધાનું પરિવારજનોનું કથન

રાજકોટ તા. ૨૦: સણોસરા ગામે રહેતાં ગોવિંદભાઇ સાગઠીયાના દિકરી પ્રભાબેન (ઉ.વ.૩૫)એ રાતે અઢી વાગ્‍યે શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી અગ્નિસ્‍નાન કરી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.

પ્રભાબેન બે ભાઇ અને બે બહેનમાં વચેટ તથા અપરિણીત છે. તેમના પરિવારજનોએ કહ્યું હતું કે ભૂકંપ આવ્‍યો ત્‍યારથી પ્રભાબેને માનસિક સમતુલા ગુમાવી હોઇ તેમની દવા સારવાર ચાલુ છે. આ કારણે મધરાતે પગલુ ભર્યુ હતું. પોલીસે વિશેષ નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(11:36 am IST)