Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રાજકોટના ભગવતીપરામાં રહેતા પતિ દારૂ પી મારકુટ કરતો, નણંદ અને માસીજી ત્રાસ આપતા વર્ષાએ આપઘાત કર્યો'તો

ગઢડાના નીંગાળાની યુવતીને : ગઢડાના નીંગાળા ગામે રહેતા પિતા રાજુભાઇની ફરીયાદઃ પતિ કરણ વીકાણી, નણંદ ભારતી અને માસીજી શોભા સામે ગુન્હો

રાજકોટ તા. ર૦ : ભગવતીપરામાં આજીનદીના કાંઠે દેવીપુજકવાસમાં રહેતી નવોઢાને પતિ દારૂ પી મારકુટ કરતો હોઇ, તેમજ નણંદ અને માસીજી મેણાટોણા મારી ત્રાસ આપતા નવોઢાએ એસીડ પી આપઘાત કરે લેતા બીડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભગવતીપરામાં રહેતી વર્ષા કરણભાઇ વિકાણી (ઉ.ર૦) નામની નવોઢાએ બે દિવસ પહેલા પોતાના ઘરે એસિડ પી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ.કે.યુ.વાળા સહિતના સ્ટાફે તપાસ કરતા વર્ષાબેનના લગ્ન છ માસ પહેલા થયા હતા લગ્નના બે માસ બાદ પતિ દારૂ પી ઘરે આવી મારકુટ કરી ત્રાસ આપતો હોઇ તેમજ નણંદ કિરણબેને તા.૧૭ ના રોજ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં તેના ઘરે લઇ જવા બાબતે ઝઘડો કરી મારકુટ કરતો હોઇ તેમજ પતિ કરણની બહેન ભારતી અને માસીજી શોભના મેણાટોણા મારી ત્રાસ આપતા હોઇ તેથી કંટાળી જઇ નવોઢા વર્ષાએ  આપઘાત કર્યાનું તેના પીતા રાજુભાઇ ટપુભાઇ સાંથળીયા (ઉ.૪૦) (રહે. નીંગળા ગામ તા.ગઢડા, બોટાદ) એ જણાવતા પોલીસે પતિ કરણ વીકાણી, નણંદ ભારતી અને માસીજી શોભા વિરૂધ્ધ આઇ.પી.સી.૩૦૬, ૧૧૪ ની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી પી. એસ. આઇ. પી.બી.ગાજીયાએ તપાસ હાથ ધરી છે.

(12:31 pm IST)