Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

શ્રેષ્‍ઠતાનું સન્‍માન

તાજેતરમાં આદર્શ મંડળના પ્રમુખ કે. એમ. માવાણીના અધ્‍યક્ષસ્‍થાને તથા માલવિયા કોલેજના પૂર્વ પ્રિ. રતુભાઇ શીંગાળાના અતિથિ વિશેષપદે ધો. ૧૦માં શ્રેષ્‍ઠ સફળતા મેળવેલ વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવેલ. પ્રિ. રતુભાઇ શીંગાળાએ ઉત્‍કૃષ્‍ટ પરિણામો મેળવવા બદલ વિદ્યાર્થીઓને વિણાબહેન શીંગાળા-પ્રતિષ્‍ઠાન દ્વારા પુરસ્‍કાર એનાયત કરી વાલીઓને સંબોધન કરતાં શીખ આપી હતી જૈન અગ્રણી કાન્‍તિભાઇ વસા દ્વારા ઉંચા ગુણાંકન પરાપ્‍ત કરનાર વિદ્યાર્થીઓને પુરસ્‍કાર એનાયત કરેલ. ડો. મહેશભાઇ હિરાણી તથા નાગજીભાઇ દ્વારા ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્‍યાં હતાં. વાલીમંડળના પ્રમુખ વકિલ હિંમતભાઇ લાબડીયાએ ગ્રાંટેડ શાળા દેવકુંવરબા હાઇસ્‍કૂલે ૬ર% પરિણામ મેળવીને અનેરી સિધ્‍ધિ પ્રાપ્‍ત કરી છે. તેમ જણાવેલ. મંત્રીશ્રી મનુભાઇ કોટક, નૌતમભાઇ કેશરીયા, આચાર્યશ્રી વ્‍યાસે પ્રસંગોચિત પ્રવચન કરી વિદ્યાર્થીઓને બિરદાવ્‍યા હતાં.

(4:08 pm IST)