Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

મારા વિરૂધ્‍ધ જમીન કૌભાંડ અંગે તપાસ કમિટી રચોઃ કલેકટરનેરૂબરૂ મળતા સિધ્‍ધાર્થ પરમારઃ કુલ ર૭ કરોડનું કૌભાંડ છે

અનુસુચિત જાતિની ખેતી મંડળીઓમાં અન્‍ય જ્ઞાતિના લોકોને પણ દસ્‍તાવેજો કરી અપાયા છે : મે પદયાત્રા કરી તેની રાજય સરકારે પણ ગંભીરતાથી નોંધ લેવી પડી હતીઃ એડી. કલેકટરને પણ મળ્‍યા...

રાજકોટના પૂર્વ ધારાસભ્‍ય શ્રી સિધ્‍ધાર્થ પરમાર તથા અન્‍યોએ અનુસુચિત જાતિની ખેતી મંડળી સંદર્ભે કલેકટર કચેરીએ દેખાવો યોજી કલેકટર-એડી. કલેકટરને આવેદન-રજૂઆતો કરી હતી. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૦: શહેરના પૂર્વ ધારાસભ્‍ય શ્રી સિધ્‍ધાર્થ પરમાર અને અન્‍યોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી, મારા વિરૂધ્‍ધ જમીન કૌભાંડ બાબતેમાં મુખ્‍યમંત્રીશ્રીને થયેલ ફરીયાદમાં તાત્‍કાલીક મારા વિરૂધ્‍ધ તપાસ સમિતિની રચના કરવામાં આવવી જોઇએ તેમ માંગણી કરી હતી.

આવેદનમાં વધુમાં ઉમેર્યું હતું કે, મે સંવિધાન સમર્પણ સંકલ્‍પ યાત્રા દ્વારા ઓબીસી/એસસી/એસટી/માઇનોરીટી, ખેડૂત અને ગરીબ વર્ગના અધિકારોના રાજય સરકાર દ્વારા અમલીકરણ કરાવવા માટે તા. ૦૧/૦૪/ર૦રરના રોજ રાજકોટથી ગાંધીનગર લગભગ ૪૦૦ કિલો મીટર અન્‍નનો ત્‍યાગ કરીને પદયાત્રા શરૂ કરેલ હતી જેમાં આ યાત્રામાં ખલેલ પહોંચાડવા તેમજ સફળ ન થવા દેવા માટે પુર્વ મુખ્‍યમંત્રીના ચેલાઓએ તા. ૩૧-૩-ર૦રરના રોજ સ્‍થાનિક અખબાર જે મારી માહિતી મુજબ ચોકકસ આગેવાનોના પરિવારના વ્‍યકિતનું અખબાર છે તેમાં છપાયેલ કે રાજકોટમાં અનુસુચિત જાતિની ખેતી મંડળીઓમાં જમીન કૌભાંડ ચાલી રહયા છે તેમાં પડદા પાછળ સિધ્‍ધાર્થ પરમાર પૂર્વ જાતિની ખેતી મંડળીઓમાં જમીન કૌભાંડ ચાલી રહ્યા છે તેમાં પડદા પાછળ સિધ્‍ધાર્થ પરમાર પૂર્વ ધારાસભ્‍ય છે. મારી યાત્રા નિષ્‍ફળ બનાવવા ચોકકસ લોકોએ આ ધંધો કરેલ પરંતુ છતાં મારી પદયાત્રાનું રાજકોટથી લઇને અમદાવાદ સુધી ઠેર-ઠેર ભવ્‍ય સ્‍વાગત થયેલું જેની રાજય સરકારે મેં આપેલા ૧૦ મુદ્દાઓના આવેદન ઉપર ગંભીરતા લેવી પડેલ હતી.

ઉપરોકત બાબત તમોને એટલા માટે જણાવું છું કે, અનુસુચિત જાતિ ખેતી મંડળીઓની જમીનોનું આ એ જ પ્રકરણ છે કે જેમાં જુહી નો દલિતોની આ મંડળીમાં ગેરકાયદેસર દસ્‍તાવેજ કરેલો છે અને ચોકકસ લોકો આ મંડળીના પ્રમુખ ન હોવા છતાં જીલ્લા રજીસ્‍ટ્રાર કચેરી અને કલેકટર કચેરીએ માન્‍યતા આપીને અનુસુચિત જાતિ સિવાયના અન્‍ય જ્ઞાતિના લોકોને સરકારના નિયમ વિરૂધ્‍ધ દસ્‍તાવેજો કરી આપેલ છે જેના કારણે અનુસુચિત જાતિના ગરીબ લોકોને નુકશાન થયેલ છે તેમજ દલિતોની આ જમીનમાંથી આશરે ર૭ કરોડનું આર્થિક કૌભાંડ આચરવામાં આવેલ હતું. જેમાં નિયમ અનુસાર સખ્‍ત કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીશ્રીના રીપોર્ટ સહીત અનેકો પુરાવા જીલ્લા કલેકટર તરીકે મે તમોને લેખિતમાં આપ્‍યા છે જેના ઉપર આજ દિન સુધી કોઇ કાર્યવાહી થયેલ નથી. આ આખા પ્રકરણમાં મારો તમોને આગ્રહ છે કે તા. ૩૧/૦૩/ર૦રરના રોજ અનુસુચિત જાતિના વ્‍યકિતએ મુખ્‍યમંત્રીશ્રીને અનુસુચિત જાતિની ખેતી મંડળીની જમીન કૌભાંડમાં મારી સંડોવણી કરતો પત્ર લખેલ છે જેની નકલ તમોને પણ મોકલેલ છે.

વિશેષ અનુસુચિ જાતિની મંડળીના આ જમીન કૌભાંડની તપાસ માટે તપાસ કમિટીનું ગઠન કરવામાં નહીં આવે તો હું રાજકોટ કલેકટર કચેરી ઓફીસમાં આવીને બેસી રહીશ અને જયાં સુધી તમો આ પ્રકરણમાં મારા વિરૂધ્‍ધ તપાસ કમિટિનું ગઠન નહીં કરો ત્‍યાં સુધી હું તમારી ઓફીસમાં સરકારી કાર્યમાં ખલેલ ન પહોંચે તે રીતે બેઠો રહીશ જેની આપશ્રીને જાણ કરૂં છું.

(4:21 pm IST)