Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

બોગસ આર.સી. બૂકને આધારે કરોડોના લોન કૌભાંડમાં સુરતનો ભૂમેશ શાહ ૧ાા લાખમાં બનાવી આપતો નકલી બૂક

રાજકોટનો ટ્રાવેલ્સ સંચાલક ભોલુગીરી ૨૬મી સુધી રિમાન્ડ પરઃ સુરતનો ઇર્શાદ પઠાણ પણ પકડાયો : ઇર્શાદના ૧૪ દિવસના રિમાન્ડ મંગાયાઃ શહેર એસઓજીની ટીમે કૌભાંડના મુળ સુધી પહોંચવા તપાસ આદરી : રિમાન્ડ પર રહેલો ભોલુગીરી ગોસ્વામી અને સુરતથી પકડાયેલો ઇર્શાદ ઉર્ફ ઇસુ પઠાણ

રાજકોટ તા. ૧૯: શહેરના ઢેબર રોડ નારાયણનગર-૧૨માં રહેતાં ખોડિયાર ટ્રાવેલ્સના સંચાલક ભોલુગીરી ભાણગીરી ગોસ્વામીએ સુરતના ઇર્શાદ કાળુભાઇ પઠાણ અને હોશાંગ વાય ભગવાગર સહિતની સાથે મળી ટ્રાવેલ્સ બસોની હયાતી ન હોવા છતાં માત્ર એન્જીન-ચેસીસ નંબરો ઉભા કરી બોગસ આરસી બૂકો બનાવી તેના આધારે રાજકોટ, અમદાવાદ, વડોદરાની ખાનગી બેંકો, ફાયનાન્સ પેઢીઓમાંથી અધધધ રૂ. ૪ કરોડ ૬ લાખ ૨૦ હજારની ૨૮ લોનો લઇ બાદમાં બેંકોને ધૂંબો મારી દીધાના કૌભાંડમાં એસઓજીએ ભોલુગીરીને ઝડપી કોર્ટમાં રજૂ કરતાં ૨૬મી સુધીના રિમાન્ડ મંજુર થયા છે. તેમજ બીજા આરોપી  સુરતના ઇર્શાદ ઉર્ફ ઇસુ કાળુભાઇ પઠાણ (ઉ.વ.૪૧-રહે. રહેમત નગર વાલક પાટીયા, મકાન નં. ૨૧૩, હુન્ડાઇ શો રૂમ પાછળ સુરત, મુળ વતન મંગળશા પીરની વાડી પાસે જેતપુર)નો જેલમાંથી કબ્જા

ે લઇ ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પુછતાછમાં તેણે પોતાને ૧ાા થી ૨ લાખમાં ભૂમેશ શાહ નકલી આરસી બૂક બનાવી આપતો હોવાનું રટણ કર્યુ છે.

કૌભાંડમાં રાજકોટની એચડીએફસી બેંકના સોૈરાષ્ટ્ર કચ્છના સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતાં જાગીર જયકરભાઇ કારીયા (ઉ.વ.૪૧)એ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪, ૧૨૦-બી મુજબ એચડીએફસી બેંક સાથે રૂ. ૫૩,૬૨,૪૨૮ની ઠગાઇ કરવા અંગે રાજકોટના ભોલુગીરી ગોસ્વામી, સુરતના ઇર્શાદ પઠાણ અને હોશાંગ ભગવાગર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં ભોલુગીરી, ઇર્શાદ અને બેંક વેલ્યુયર હોશાંગ ભગવાગરે મળી કોઇપણ જાતની લકઝરી બસોની હયાતી ન હોવા છતાં ખોટી આરસી બૂકો બનાવી, ખોટી વિમા પોલીસીઓ ઉભી કરી બેંકમાં રજૂ કરી લોન લઇ છેતરપીંડી કર્યાનો આરોપ મુકાયો હતો. એચડીએફસી બેંકમાં ડીસેમ્બર ૨૦૧૭માં ગ્રાહક ભોલુગીરી ગોસ્વામી (રહે. નારાયણનગર રાજકોટ)એ અશોક લેલન્ડ બસની ત્રણ અલગ અલગ આરસી બૂકો રજૂ કરી હતી. આ ત્રણેય સુરતના વિજય મકોડભાઇ ઢોલીયાના નામની હતી. તેની સાથે વિમા પોલીસી સહિતના દસ્તાવેજો પણ રજૂ કરાયા હતાં. તેણે આ ત્રણેય બસો પર રૂ. ૧૪,૫૦,૦૦૦, રૂ. ૧૪,૫૦,૦૦૦ તથા રૂ. ૧૬ લાખની લોન માટે અરજી કરી હતી. કુલ ૪૫ લાખની લોન મેળવી લીધા બાદ ૨૦૧૯થી લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. એ પછી તપાસ થતાં તેની પાસે કોઇ બસ જ નહિ હોવાનું ખુલ્યું હતું. સુરત એસઓજીએ આવા કૌભાંડમાં ઇર્શાદને પકડ્યાનું ખુલતાં બેંક મેનેજરને ભોલુગીરી સામે શંકા ઉપજી હતી. એ પછી એસઓજીએ તપાસ શરૂ કરી હતી.

કૌભાંડ ખુલ્લુ પડતાં ગુનો નોંધી ભોલુગીરીની ધરપકડ કરવામાં આવતાં તેણે કુલ ૨૮ નકલી આરસી બૂકોને આધારે રાજકોટ, વડોદરા, અમદાવાદની ખાનગી બેંકો, ફાયનાન્સ પેઢીઓ સાથે રૂ. ૪ કરોડ ૬ લાખ ૨૦ હજારની ઠગાઇ કર્યાનું સામે આવ્યું હતું. ભોલુગીરીએ નકલી આરસી બૂકો સુરતના ઇર્શાદે આપ્યાનું કહેતાં એસઓજીની ટીમે ઇર્શાદ ઉર્ફ ઇસુ કાળુભાઇ પઠાણને રાજકોટ લાવી ધરપકડ કરી ૧૪ દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. કૌભાંડમાં વધુ અનેક નામો ખુલવાની શકયતા છે. ઇર્શાદે એવું રટણ કર્યુ છે કે તે ભૂમેશ શાહ પાસે દોઢથી બે લાખમાં નકલી આરસી બૂક બનાવડાવતો હતો. ભૂમેશ પણ હાલ સુરત જેલમાં છે. ઇર્શાદનું આ કથન કેટલુ સાચું? તે સહિતની તપાસ કરવા તેને ૧૪ દિવસના રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. એસ. અન્સારી, એએસઆઇ ભાનુભાઇ મિયાત્રા, સુભાષભાઇ ડાંગર, મોહિતસિંહ જાડેજા, કિશનભાઇ આહિર, રણછોડભાઇ, ધર્મેન્દ્રસિંહ સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

(3:16 pm IST)