Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

શહેરના જાણકાર તરવૈયાઓ માટે સારા સમાચાર...૧૬ માસ બાદ સ્નાનાગાર ખુલશે

મ.ન.પા.ના તમામ સ્નાનાગારો શુક્રવારથી શરૂ થશેઃ કાલથી રજીસ્ટ્રેશન

રાજકોટ, તા. ૨૦ :. મહાનગરપાલિકા સંચાલિત શહેરના તમામ સ્નાનાગારો તા. ૨૩ એટલે કે શુક્રવારથી લોક ઉપયોગ માટે શરૂ કરવામાં આવશે. જ્યારે આવતીકાલથી ૨૧થી રજીસ્ટ્રેશન ચાલુ કરાશે.

આ અંગે મ.ન.પા.ની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ કોવિડ-૧૯ની તાજેતરની માર્ગદર્શિકા અનુસાર મહાનગરપાલિકા સંચાલિત તમામ સ્નાનાગારો તા. ૨૩ જુલાઈ લોક ઉપયોગ માટે શરૂ કરવામાં આવશે. હાલ નોન ચિલ્ડ્રન કેટેગરીમાં ફકત જાણકાર સભ્યો તથા ડાઈવીંગ કેટેગરીના શિખાઉ સભ્યો માટેની બેચો જ શરૂ થશે. આ અંગેનુ રજીસ્ટ્રેશન તા. ૨૧ જુલાઈ બુધવારથી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી તા. ૨૨ જુલાઈથી નજીકની વોર્ડ ઓફિસ તથા સિવિક સેન્ટરો ખાતેથી કરી શકાશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.

(3:51 pm IST)