Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રાજકોટના સુપ્રસિદ્ધ લોકમેળા અંગે અંતિમ નિર્ણય ટૂંકસમયમાં મળનાર બેઠકમાં લેવાશે

લોકમેળા અંગે હજુ સુધી કોઈ જ નિર્ણય લેવાયો નથી : એડી.કલેક્ટર સાથે અકિલાની વાતચીત

રાજકોટ :  શ્રાવણ મહિનાની સાતમ-આઠમ ઉપર ભરાતો રાજકોટનો સુપ્રસિદ્ધ લોકમેળો યોજાશે કે કેમ ?  આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી આ બાબતે ટૂંકસમયમાં મળનાર બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે તેમ એડી,કલેકટરે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું 

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લેતા રાજકોટમાં સાતમ આઠમનો લોક મેળો નહીં યોજાઈ તે પ્રકારના સમાચાર સોશિયલ મીડિયા પર હાલ વાઇરલ થઈ રહ્યા છે, પરંતુ જિલ્લા વહીવટી તંત્ર-રાજકોટ દ્વારા લોકમેળાના આયોજન અંગે કોઈ મિટિંગ હજુ યોજાઈ નથી, તેમજ હજુ સુધી લોક મેળા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.
આ અંગે આવનારા સમયમાં યોગ્ય  નિર્ણય લેવામાં આવશે તેમ સમાચાર માધ્યમોને ખાસ નોંધ લેવા વિનંતી કરાઈ છે

(6:54 pm IST)