Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

રાજકોટ અને પોરબંદરમાં મેળાની મોજ માણવા વધુ એક દિવસ સુધી લંબાવાયો

પોરબંદર જીલ્લામાં મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો ;પોલીસ અધિકારી અને કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાયો

રાજકોટ અને પોરબંદરમાં લોકમેળો એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તંત્રએ  લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. હવે લોકો મેળાની મોજ 22 તારીખને બદલે 23 તારીખ સુધી માણી શકશે. રાજકોટની સાથે સાથે પોરબંદરમાં પણ જન્માષ્ટમીના પર્વ અનુસંધાને ચોપાટી મેદાન ખાતે યોજાયેલ લોકમેળામાં અને વિવિધ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી દરમ્યાન પોરબંદર જીલ્લામાં મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો ત્યારે ટ્રાફીકની સમસ્યા ન સર્જાય અને કોઇ અનિચ્છિનીય બનાવ ન બને તેમજ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેવા હેતુથી પોરબંદર જીલ્લાનાં પોલીસ અધિકારી અને કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવી છે.

(12:33 am IST)