Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સ્વયંસેવકોના સન્માન સાથે ''રાજકોટ કા મહારાજા'' ગણેશ મહોત્સવનું સમાપન

રાજકોટ : ''રાજકોટ કા મહારાજા'' ના અંતિમ દિવસની મહાઆરતી પરાગભાઇ મહેતા (રેલ્વે) પરિવાર દ્વારા કરવામાં આવેલ હતી. પુજા-અર્ચના વૈદિક મંત્રોચ્ચાર, પુષ્પવર્ષા, ગણેશ યજ્ઞથી દૂંદાળા દેનું આજી નદી ખાતે ભુદેવ સેવા સમિતિના ગણેશ ભકતો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જનની શાસ્ત્રોકત વિવિ પ્રખર શાસ્ત્રીજી જયભાઇ ત્રિવેદીએ કરાવી હતી. આ પ્રસંગે ભૂદેવ સેવા સીમતિના ભરતભાઇ દવે, કીર્તિબેન દવે, અનિલભાઇ ત્રિવેદી, રક્ષાબેન ત્રિવેદી, પંકજભાઇ રાવલ, વર્ષાબેન રાવલ, શીરીષભાઇ વ્યાસ, પલ્લવીબેન વ્યાસ, મયુરભાઇ વોરા અને તેમના ધર્મપત્નિ, પરાગભાઇ મહતા, ઇલાબેન મહેતા, જયોતિન્દ્રભાઇ પંડયા, પુનમબેન પંડયા, સંદિપભાઇ પંડયા, દિલીપભાઇ જાની, તેજસભાઇ ત્રિવેદી, નેહલબેન ત્રિવેદી, નિશાંતભાઇ રાવલ, શ્રધ્ધાબેન રાવલ, વિશાલભાઇ આહ્યા, નિશાબેન આહ્યા, જય પુરોહીત, પ્રિયંકાબેન પુરોહીત, ખ્યાતિબેન, ત્રિવેદી, પ્રશાંતભાઇ ત્રિવેદી, કુંજનબેન ત્રિવેદી, પુજન પંડયા, માનવ વ્યાસ, વિશાલ ઉપાધ્યાય, સુરજ મહેતા, જય જોષી, ચિરાગભાઇ દવે, ડિમ્પલબેન દવે, ચિરાગભાઇ મહેતા અને તેના ધર્મપત્નિ.ઉપસ્થિત રહ્યા હતા. સંતિમ દિવસે ભૂદેવ સમિતિના સન્નીષ્ઠ સ્વયંસેવકોનું સન્માન કરાયુ હતું શનિવાર-રવિવારે ''રાજકોટ કા મહારાજા''ના આંગણે લોકલાડીલા મેયર ડો. પ્રદીપભાઇ ડવ, જિલ્લા પંચયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, રાજકોટના એડીશ્નલ કલેકટર શ્રી ધાંધલ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૭ ના કોર્પોરટર શ્રીમતી વર્ષાબેન પાંધી, જયાબેન ચાવડા, બ્રહ્મપુરીના ટ્રસ્ટી ભગીરથભાઇ શુકલ, ઉદ્યોગપતિ પંકજભાઇ જૈન, રામનાથ મહાદેવના પુજારી નિશાંતભાઇ ગોસ્વામી, રાજુભાઇ કિકાણી, પ્રશાંતભાઇ જેઠાણી, પી.એસ.આઇ. કારૂનિકભાઇ દવે, શિક્ષણ સમિતિ સભ્યો શ્રી ડો. વિજયભાઇ ટોળીયા, કિશોરભાઇ પરમાર, ભાખર, શારદભાઇ તલસાણીયા, કિરીટભાઇ ગોહિલ, રવીભાઇ ગોહીલ, રાજકોટ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલીતભાઇ વાડોલીયા, લોહાણા સમાજના અગ્રણી વિનોદભાઇ આહ્યા, આહ્યા પરિવાર તથા ધર્મપ્રેમી જનતાએ મહાઆરતીનો લાભ લીધો હતો.

(3:23 pm IST)