Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

શાપરમાં કેશુભાઇનું છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ મોત

રાજકોટ તા. ૨૦: શાપર વેરાવળ રહેતાં કેશુભાઇ દેશાભાઇ ચાવડા (ઉ.૫૦) સાંજે ગાડી ઉતારવાની મજૂરી કરી રહ્યા હતાં ત્‍યારે એકાએક છાતીમાં દુઃખાવો ચાલુ થતાં બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ શાપર પોલીસને જાણ કરી હતી.

(10:48 am IST)