Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

વંથલીના ધંધુસરમાં હમીરભાઇ તરખલાનો સળગીને આપઘાત

ક્રોધ ચડતાં પગલુ ભર્યુઃ રાજકોટમાં મોત નિપજ્‍યું

રાજકોટ તા. ૨૦: વંથલીના ધંધુસરમાં રહેતાં હમીરભાઇ ભુરાભાઇ તરખલા (ઉ.૫૦) નામના પ્રોૈઢે ગઇકાલે સવારે ઘરે કેરોસીન છાંટી અગ્નિસ્‍નાન કરી લેતાં સારવાર માટે જુનાગઢ અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સાંજે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વંથલી પોલીસને જાણ કરી હતી. હમીરભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે ખેત મજૂરી કરતાં હતાં. ક્રોધ ચડવાથી આ પગલુ ભરી લીધાનું તેમના સગાએ જણાવ્‍યુ હતું. વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:51 am IST)