Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

આવજે વિક્રમ.. ‘અકિલા' પરિવારની ભાવાંજલી

કર્તવ્‍યનિષ્‍ઠ વ્‍યકિતત્‍વ પંચમહાભૂતમાં વિલીન... શરણ્‍યે ત્ર્યંબકે દેવી નારાયણી નમોસ્‍તુતે

રાજકોટ : કર્તવ્‍યનિષ્‍ઠા - ઉંડી સમજ અને ઉપયોગી થવાના ભાવનો સંગમ રચાયો હોય તેવુ વ્‍યકિતત્‍વ ધરાવતા વિક્રમ ડાભીની અચાનક વિદાય સ્‍તબ્‍ધ કરી ગઈ. ‘અકિલા' પરિવારના સભ્‍ય વિક્રમ પોતાની કાર્યશૈલીથી સૌનો પ્રિય બન્‍યો હતો. આ વ્‍યકિતની વિદાય આંચકાજનક છે. સમગ્ર ‘અકિલા' પરિવારે આજે બે મિનિટનું મૌન રાખીને વિક્રમને ભાવાંજલી આપી હતી. ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા, રાજુભાઈ ગણાત્રા, નિમીષભાઈ ગણાત્રા, તથા પરિવારના સભ્‍યો શ્રીમતી સ્‍મિતાબેન સુનિલભાઈ રાયચુરા, ધારાબેન દિપકભાઈ નાગ્રેચા, મીનાબેન હરીશભાઈ ચગ તથા સમગ્ર સ્‍ટાફ પરીવારે સ્‍વ.વિક્રમ ડાભીને ભાવાંજલી અર્પણ કરી હતી. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:20 pm IST)