Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

રઘુવંશી પરિવારની કુ. વિધિ જટનિયાનું નેશનલ સેમિનારમાં પ્રતિનિધિત્‍વ

રાજકોટઃ બેંક ઓફ બરોડા દ્વારા ૭   ૨૦૨૨     ખાતે આયોજીત સાર્વજનિક ક્ષેત્રની બેંકો માટેનાં અખિલ ભારતીય હિન્‍દી સેમિનારમાં કેનરા બેંક રાજકોટનાં અધિકારી તેમજ રાજકોટ લોહાણા મહાજનનાં કારોબારી સભ્‍ય કુ. વિધિ ચંદ્રકાંત જટનિયા એ પોતાનાં આલેખની પ્રસ્‍તુતિ આપી હતી. સેમિનાર  માટે વિભિન્‍ન ક્ષેત્રે સાર્વજનિક ક્ષેત્રની બેન્‍કોની ભૂમિકા વિષય પર હતો, જેમાં ભારતીય રિજર્વ  બેંક અને વિભિન્‍ન બેંકના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યાં હતા. આ લેખોમાંથી ફકત શ્રેષ્‍ઠ આલેખને પ્રસ્‍તુતિ માટે પસંદ કરાયાં હતાં.  સેમિનારમાં એકમાત્ર ગુજરાતી તરીકે પ્રતિનિધિત્‍વ કરવા માટે વિધિ જટનિયા ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:54 pm IST)