Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

રઘુવંશી મૈત્રી કલબ અને બાલ વિકાસ કેન્‍દ્ર દ્વારા

ગુરૂવારે વેલકમ નવરાત્રીઃ કોઈપણ સ્‍પર્ધા નહિ, ભાવ ભકિત ગરબા સાથે માતાજીની આરાધના

રાજકોટઃ શ્રી રઘુવંશી મૈત્રી કલબ તથા બાલ- વિકાસ કેન્‍દ્રના ઉપક્રમે ‘વેલકમ નવરાત્રી' રાસ- ગરબાનું અનેરૂ આયોજન થયું છે. જેમાં  કોઈપણ પ્રકારની (સ્‍પર્ધા) હરીફાઈ નહી. ભાવ- ભકિત- ગરબા સાથે ‘માં ની આરાધના' કરાશે.
જેમાં સભ્‍ય બહેનો તેના બાળકો, ગેસ્‍ટબેનો તેના બાળકો બધા ભાગ લઈ શકશે. દરેકને સમાન ઈનામો, નાસ્‍તો વિગેરે આપવામાં આવશે.
તા.૨૨ ગુરૂવારે કાલાવાડ રોડની કેશરીયા વાડી ખાતે સાંજે ૪ થી ૭ કાર્યક્રમ યોજાશે. જેમાં ગરબાને અનુરૂપ ડ્રેસકોડમાં આવવાનું રહેશે. તેમ પ્રમુખ ઈન્‍દુબેન અનડકટની યાદીમાં જણાવેલ છે.
કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના પ્રમુખ ઈન્‍દુબેન અનડકટ, કિર્તીબેન, લતાબેન, ચંદ્રીકાબેન, મધુરિકાબેન, જીજ્ઞા, નેહા વિગેરે જહેમત ઉઠાવી રહેલ છે.

 

(4:07 pm IST)