Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

આજીડેમમાં ગાંઠિયા - બ્રેડ નાખવાની મનાઇ: સિંચાઇ ખાતાના નિર્ણયથી જીવદયા પ્રેમીઅોમાં નારાજગી


રાજકોટ તા. ૨૦: આજીડેમ અોવરફલો થતા શહેરીજનોના હૈયા પણ છલકાયા છે ત્યારે આજીડેમ ખાતે સિંચાઇ તંત્ર દ્વારા મારવામાં આવેલ નોટીસ બોર્ડથી જીવદયા પ્રેમીઅોમાં ભારે કચવાટ ઉભો થયો છે. સિંચાઇ વિભાગ દ્વારા મુકવામાં આવેલ નોટીસ બોર્ડમાં ડેમની અંદર ગાંઠીયા, વાસી બ્રેડ, પ્લાસ્ટીક તેમજ અન્ય કોઇપણ પ્રકારની સામગ્રી નાખવાની મનાઇ ફરમાવવામાં આવી છે. આજી ડેમ ખાતે અનેક શહેરીજનો - જીવદયા પ્રેમીઅો દરરોજ માછલીઅોને ખવડાવવા આવતા હોય છે, ત્યારે આ બોર્ડથી જીવદયા પ્રેમીઅોમાં ભારે રોષ સાથે કચવાટ ફેલાયો છે.(૨૧.૩૩)

(4:09 pm IST)