Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જનકપુરી સોસાયટીમાં વૃધ્‍ધ સનતભાઇ ત્રિવેદીના મકાનમાં ર.પ૭ના દાગીનાની ચોરી

વૃધ્‍ધ પત્‍ની સાથે મુંબઇ ગયા'તાઃ તસ્‍કરોએ દરવાજાનો નકુચો તોડી સોનાના દાગીના ઉઠાવી ગયા

રાજકોટ, તા., ૨૦:  શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી જનકપુરી મેઇન રોડ પર રહેતા વૃધ્‍ધના બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવી રૂા. ર.પ૭ લાખના સોનાના દાગીના ચોરી જતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ જનકપુરી મેઇન રોડ પર બ્‍લોક નં. ૨૯૦માં રહેતા સનતભાઇ પ્રહલાદભાઇ ત્રિવેદી (ઉ.વ.૬૭) ગત તા. ૭-૮ના રોજ પત્‍ની કલ્‍પનાબેન સાથે મુંબઇ ખાતે રહેતા બે પુત્રને ત્‍યાં ગયા હતા ત્‍યારે તેના બંધ મકાનને નિશાન બનાવી તસ્‍કરોએ મુખ્‍ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી બેડરૂમમાં કબાટનો લોક તોડી તેમાં રાખેલા રૂા. ર,પ૭,૦૦૦ ની કિંમતના સોનાના સાડા આઠ તોલાના દાગીના ચોરી ગયા હતા. બાદ તા. ૧૮-૯ ના રોજ વૃદ્ધ સનતભાઇના સાળા સંજયભાઇ ભટ્ટે ફોન કરી ઘરમાં ચોરી થઇ હોવાની જાણ કરતા બીજા દિવસે સનતભાઇ પત્‍ની સાથે રાજકોટ પહોંચી પોતાના ઘરે આવ્‍યા ત્‍યારે ઘરમાં સામાન વેરવીખેર જોવા મળ્‍યો હતો. બાદ બેડ રૂમમાં તપાસ કરતા સામાન વેરવીખેર અને કબાટમાંથી દાગીના જોવા ન મળતા ચોરી થઇ હોવાની જાણ થતા તેણે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એ.એસ.આઇ. એમ. આર. ઝાલા સહિતે તપાસ હાથ ધરી છે.

 

(4:34 pm IST)