Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

રૂખડીયાપરાનો ૧૫ વર્ષનો વિદ્યાર્થી તુષાલ સરધારા ૮ દિવસથી લાપતા

માતાએ ભણવા બાબતે ઠપકો દેતાં ઘર છોડયું: પ્ર.નગર પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ આદરી

રાજકોટ તા. ૨૦: રૂખડીયાપરા ગેલમાના મંદિર પાસે રહેતાં અને ધોરણ-૯માં અભ્‍યાસ કરતાં તુષાલ હિતેષભાઇ સરધારા (અનુ. જાતિ) (ઉ.વ.૧૫)ને માતાએ ભણવા બાબતે ઠપકો આપતાં તા. ૧૩/૧૦ના બપોરે ઘરેથી નીકળી ગયો છે. શોધખોળ બાદ પત્તો ન મળતાં પોલીસને જાણ કરતાં પ્ર.નગર પોલીસે અજાણ્‍યા શખ્‍સ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તુષાલ બે ભાઇ અને બે બહેનમાં મોટો છે. તેના પિતા હિતેષભાઇ બાબુભાઇ સરધારા સફાઇ કામદાર છે. દિકરાનો આઠ દિવસથી પત્તો ન મળતાં પિતા અને માતા સોનુબેન સહિતના આકુળ વ્‍યાકુળ થઇ ગયા છે. પ્ર.નગર પીએસઆઇ ડી. યુ. પીઠડીયા વધુ તપાસ કરી રહ્યા છે. તસ્‍વીરમાં દેખાતો તુષાલ કોઇને જોવા મળે તો પોલીસને ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ અથવા તુષાલના પિતાને મો. ૭૮૭૪૦ ૦૮૪૯૪ ઉપર જાણ કરવા જણાવાયું છે. તે ઘરેથી નીકળો ત્‍યારે કાળુ પેન્‍ટ અને કાળુ ટી-શર્ટ પહેર્યુ હતું.


 

(3:57 pm IST)