Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

૮૦ ફુટ રોડ ખોડિયારપરામાં ત્રીજા માળેથી પડતું મુકી મનોહરસિંહે મોત મેળવી લીધું

માનસિક અસ્વસ્થતાને કારણે પગલુ ભર્યુઃ જાડેજા પરિવારમાં શોક


રાજકોટ તા. ૨૦: એંસી ફુટ રોડ ખોડિયારપરામાં ત્રણ માળીયામાં રહેતાં મનોહરસિંહ જસુભા જાડેજા (ઉ.૪૩) નામના આધેડે ત્રીજા માળેથી પડતું મુકી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

મનોરસિંહે સાંજે ત્રીજા માળેથી છલાંગ મારતાં અડોશી પડોશી ભેગા થઇ જતાં ૧૦૮ બોલાવાતાં ઇએમટી દિવ્યાબેન અને પાઇલોટ પૃથ્વીરાજસિંહે તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં થોરાળાના પીએસઆઇ જે. ડી. વસાવાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર મનોહરસિંહને માનસિક અસ્વસ્થતા હોઇ બે ત્રણ વર્ષથી કામ કરી શકતા નહોતાં અને ઘરમાં જ રહેતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્ર છે. પત્નિ અને પુત્ર બહાર હોઇ તે વખતે તેણે ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. 

(2:41 pm IST)