Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પ.પૂ.મ.મ.ગીતા મનીષી સ્વામી શ્રી જ્ઞાનાનંદજી મહારાજ રાજકોટના આંગણે પધારશે

'દિવ્ય ગીતાથી દિવ્ય જીવન' વિષય ઉપર શુક્રવારે સત્સંગનનો કાર્યક્રમ યોજાશે

રાજકોટ,તા.૨૦: રાજકોટના આંગણે એક અનેરો પ્રસંગ આવ્યો છે. ગુજરાત સ્કૂલ ઓફ એકસેલેન્સ (ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલ), જીઓ ગીત પરિવાર અને શ્રી કૃષ્ણ  કૃપા પરિવારના સહયોગથી ''દિવ્ય ગીતા સે દિવ્ય જીવન'' વિષે સત્સંગ કાર્યક્રમનું આયોજન કર્યું છે.

આ કાર્યક્રમમાં પરમ પૂજય મ.મં.ગીતા મનીષી સ્વામી શ્રી જ્ઞાનાનંદજી મહારાજ અને પરમ પૂજય સ્વામી શ્રી પરમાત્માનંદજી  દ્વારા 'ભગવદ્ ગીતાગી દિવ્ય જીવન' વિષય પર માર્ગદર્શન આપવામાં આવશે.

આ કાર્યક્રમ તા.૨૨મી ઓકટોબર (શુક્રવાર)ના બપોરે ૩:૩૦ વાગ્યે ગુજરાત સ્કૂલ ઓફ એકસેલન્સ (ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલ) શિવધારા રેસિડેન્સી, શ્રી બંગલોઝ પાછળ, ડી- માર્ટ નજીક ૫૦ ફૂટ રોડ, કુવાડવા રોડ, રાજકોટ ખાતે યોજાશે.

કોવિડ-૧૯માં સોશ્યલ ડિસ્ટન્સને કારણે, હોલની કેપેસિટી કરતા અડધી કેપોસિટી પ્રમાણે કાર્યક્રમનું આયોજન કરેલ  હોય કાર્યક્રમમાં જોડાવવા ઈચ્છુકોએ મો.૯૮૫૧૫ ૯૮૫૧૩ ઉપર પોતાનું નામ નોંધાવી દેવા યાદીમાં જણાવાયું છે.

(3:18 pm IST)