Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

સ્થા. જૈન પ્રતિક્રમણ મંડળ દ્વારા સભ્યોનું બહુમાન

રાજકોટઃ. સ્વ. મુળવંતભાઈ દોમડીયા દ્વારા સ્થાપીત શ્રી સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ મંડળ ગત પર્વાધીરાજ પયુર્ષણ મહાપર્વ દરમ્યાન દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાઈ-બહેનોને પ્રતિક્રમણ કરાવવા માટેની વ્યવસ્થા રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં રાખવામાં આવેલ હતી. આ વ્યવસ્થામાં જોડાયેલા સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ મંડળના સભ્યોના બહુમાનનો કાર્યક્રમ રાજકોટના વિવિધ સંઘોના પદાધિકારી અને દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં ગત વિરાણી વાડી, કોઠારીયા નાકા ખાતે યોજાયેલ હતો. આ પ્રસંગે સ્થાનકવાસી જૈન મોટા સંઘ અને શ્રી શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ વોરાએ સુંદર વ્યવસ્થા બદલ અભિનંદન અને શુભેચ્છા પાઠવેલ હતા. રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ અને અજરામર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ મધુભાઈ ખંધાર તેમજ સદર સ્થાનકવાસી જૈન સંઘનાં સેક્રેટરી મધુભાઈ શાહએ પણ શુભેચ્છા પાઠવેલ હતી. આ તકે સંસ્થાનાં પાયાના કાર્યકર્તા કે જેઓ કોરોનાકાળમાં અવસાન પામેલ શૈલેષકુમાર પ્રાણલાલ મહેતા, દિપકભાઈ મગનલાલ મહેતા અને રાજેશભાઈ લલીતચંદ્ર શાહના પરિવારને કર્તવ્ય સન્માન અર્પણ કરેલ હતું. સંસ્થા અંગેની માહિતી રમેશભાઈ દોમડીયાએ આપી હતી. આ કાર્યક્રમમાં સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ હરેશભાઈ વોરા અને ઉપપ્રમુખ દિનેશભાઈ દોશી, રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ, અજરામર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ મધુભાઈ ખંધાર, ગીતગુર્જરી સ્થાનકવાસી જૈન સંઘના શીરીષભાઈ બાટવીયા, ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન સંઘના કીરીટભાઈ શેઠ, મનહરપ્લોટ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ ડોલરભાઈ કોઠારી, જૈન ચાલ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ પરેશભાઈ સંઘાણી, શ્રી શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘના સેક્રેટરી મેહુલભાઈ દામાણી, શ્રી સદર સ્થાનકવાસી જૈન સંઘના સેક્રેટરી મધુભાઈ શાહ, જાણીતા દાનવીર નિતીનભાઈ કામદાર (જુલીયાના), ઈમ્પલ સ્ટીલવાળા સંદીપભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ કોઠારીએ કરેલું. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ મંડળ રમેશભાઈ દોમડીયા, જયેશભાઈ મહેતા, સેજલભાઈ કોઠારી, ભરતભાઈ કોઠારી, વિજયભાઈ વોરા, મયુરભાઈ મહેતા, સંજયભાઈ છડીયા, પ્રદિપભાઈ પારેખ અને ધર્માંગભાઈ શાહએ જહેમત ઉઠાવેલ હતી.

(3:40 pm IST)