Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

મહર્ષિ વાલ્મિકીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરતા મ.ન.પા. પદાધિકારીઓ

રાજકોટ : આજે મ.ન.પા.ના પદાધિકારીઓ દ્વારા મહર્ષિ વાલ્મિકીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સ્ટેન્ડિંગ કમિટી સભ્ય મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, સેનીટેશન ચેરમેન અશ્વિનભાઈ પાંભર, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન કંચનબેન સિધ્ધપુરા, તથા કોર્પોરેટરશ્રીઓ વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, ચેતનભાઈ સુરેજા, મગનભાઈ સોરઠીયા, તથા કંકુબેન ઉદ્યરેજા, કુસુમબેન ટેકવાણી, નયનાબેન પેઢડીયા, પરેશભાઈ પીપળીયા, મંજુબેન કુંગસીયા, દક્ષાબેન વાદ્યેલા, બીપીનભાઈ બેરા દિલીપભાઈ લુણાગરીયા, મીનાબા જાડેજા, દર્શનાબેન પંડ્યા, તથા અગ્રણીઓ મનીષભાઈ બોચરા, ડો.જીતેન્દ્ર અમલાવી, જયશ્રીબેન પરમાર વિગેરે ઉપસ્થિત રહેલ.

(3:43 pm IST)